નિતેશ તિવારી દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ‘રામાયણ’માં રાવણ તરીકે યશ ભૂમિકા ભજવી રહ્યો છે. જ્યારે તેની પત્ની મંદોદરીના રોલમાં કાજલ અગ્રવાલની પસંદગી થઈ હોવાનું જાણવા મળે છે. કાજલે મંદોદરી તરીકે પોતાના ભાગનું શૂટિંગ પણ શરૂ કરી દીધું હોવાનું કહેવાય છે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન શ્રી રામ જ્યારે સાઈ પલ્લવી માતા સીતાની ભૂમિકામાં છે. ફિલ્મની ટીમને મંદોદરીના રોલમાં ઉત્તર અને દક્ષિણ ભારત એમ બન્ને પ્રેક્ષકોમાં એકસરખી જાણીતી હોય તેવી કોઈ હિરોઈનની તલાશ હતી. આથી તેમણે કાજલ અગ્રવાલને આ રોલ માટે પસંદ કરી હોવાનું મનાય છે. ફિલ્મમાં સની દેઓલ હનુમાનજીની ભૂમિકામાં છે. ‘રામાયણ’ સિરિયલના રામ તરીકે જાણીતા અરુણ ગોવિલ આ ફિલ્મમાં દશરથની ભૂમિકામાં છે. ફિલ્મનો પહેલો ભાગ 2026ની દિવાળીએ રીલિઝ થવાનો છે. જ્યારે બીજો ભાગ 2027માં રીલિઝ થવા ધારણા છે.