લોકડાઉન દરમિયાન પ્રતિભાશાળી અભિનેતા નવાઝુદ્દીન સિદ્દિકીએ ઉત્તર પ્રદેશનાં મુઝફ્ફરનગરનાં બુધાનામાં તેનાં વડવાઓના ઘરમાં કુટુંબીજનો સાથે સમય વીતાવ્યો હતો. નવાઝુદ્દીન લોકડાઉન દરમિયાન પોતાના હોમટાઉન પહોંચી ગયા હતા અને હવે તેમનું લોકડાઉન હોલિડે પૂરું કરીને માયાનગરી મુંબઇ પરત પહોંચી ગયા છે. નવાઝુદ્દીન કહે છે કે, કામ પર પરત ફરવાનો સમય આવી ગયો છે. મેં લોકડાઉનમાં ઘરે બેસીને ઘણી બધી સ્ક્રિપ્ટ વાંચી છે. એક ઈન્ટરવ્યૂમાં નવાઝે કહ્યું કે, મારી પાસે કામની કોઈ કમી નથી. હું હવે કોઈ લેખક આધારિત રોલ નથી કરવા માંગતો. હું દરેક પ્લેટફોર્મ પર કામ કરવા તૈયાર છું. બસ મને મળતા કેરેકટર પડકારજનક હોવા જોઈએ. મેં પહેલાં ના કર્યા હોય તેવા કેરેકટર હવે ભજવવા માગું છું. હું નવા વર્ષ - ૨૦૨૧માં જે કેરેકેટર્સ ભજવીશ તે જોઈને ઓડિયન્સ આશ્ચર્યચકિત થઇ જશે. આ પછી તેઓ હસતા હસતા ઉમેરે છે કે કદાચ હું પણ આશ્ચર્યચકિત થઇ જાઉં તો નવાઇ નહીં.