IPL સ્પોટ ફિક્સિંગઃ કોર્ટના ચુકાદાથી કોને શું અસર થશે?

Wednesday 28th January 2015 08:16 EST
 

• એન શ્રીનિવાસન્ઃ
સુપ્રીમ કોર્ટના ચુકાદાથી સૌથી મોટો ફટકો શ્રીનિવાસનને પડશે. આ નિર્ણયને કારણે શ્રીનીએ ઇન્ડિયા સિમેન્ટની માલિકી, સીએસકેની માલિકી કે પછી ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડનું પ્રમુખપદ કોઈ એક બાબત પર પસંદગી ઉતારવી પડશે.
• મયપ્પન અને કુન્દ્રાઃ કોર્ટે ગુરુનાથ મયપ્પન અને રાજ કુન્દ્રાને ફિક્સિંગમાં દોષિત ઠેરવતાંની સાથે જ તેમને શું સજા થશે તેની ચર્ચા ચકડોળે ચડી છે. કોર્ટના આ ચુકાદાથી સ્પષ્ટ થાય છે કે બંને દોષિત છે અને તેમને સુપ્રીમની અન્ય ખંડપીઠના અહેવાલના આધારે સજા થશે.
• સુંદર રમન્ઃ આઈપીએલના સીઓઓ સુંદર રમન્ પણ આ તપાસમાં ફસાયા છે. તેની સામે આરોપ છે કે તે બુકીઓના સંપર્કમાં હતા. આ કારણે સુપ્રીમ કોર્ટે તેની સામે વિગતે તપાસ કરવાનો આદેશ આપ્યો છે. જો ગુનો સાબિત થશે તો સજા થશે.
• ચેન્નઇ સુપર કિંગ્સ-રાજસ્થાન રોયલ્સઃ સુપ્રીમ કોર્ટે આ બંને ટીમ પર પ્રતિબંધ મૂકી દીધો છે. આઈપીએલની હવે પછીની સિઝનમાં તેઓ ભાગ લઈ શકશે નહીં. આ ઉપરાંત કોર્ટે બીસીસીઆઈને અલગ સમિતિની રચના કરીને આ ટીમનાં ભાવિ અંગે નિર્ણય કરવા આદેશ આપ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter