ઝિમ્બાબ્વેના કેપ્ટન પદે ક્રીમર

Friday 10th June 2016 08:20 EDT
 
 

હરારેઃ ઝિમ્બાબ્વેના ઝડપી બોલર તિનાશે પાન્ગાગરાને પીઠમાં ઇજા થવાથી મહેમાન ભારત સામે ૧૧ જૂનથી શરૂ થઇ રહેલી ત્રણ વન-ડે સિરીઝમાંથી પડતો મૂકવામાં આવ્યો છે. જ્યારે ટવેન્ટી૨૦ વર્લ્ડ કપની ટીમમાંથી બહાર કરાયેલા ગ્રીમ ક્રીમરને ટીમમાં ફરી સ્થાન આપીને તેને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ઇજાગ્રસ્ત તિનાશેને સ્થાને નવોદિત તોરાઈ મુઝારાબાનીને સમાવાયો છે. કેપ્ટન તરીકે ટીમમાં પોતાનું સ્થાન ગુમાનારા મસાકદઝાને બંને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. સ્પિન વિભાગમાં લેગ સ્પિનર ક્રીમર ઉપરાંત સ્પિનર વેલિંગ્ટન મસાકદઝા અને ચિસોરોને સ્થાન અપાયું છે. એલ્ટન ચિંગુમ્બુરા, સિકંદર રઝા, વિલિયમસન અને ઇરવિન ટોચના કમની બેટિંગ સંભાળશે. ઝડપી બોલિંગમાં છતારા ડોનાલ્ડ તિરિપોનો અને નેવિલેને સ્થાન આપ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter