ન્યુઝીલેન્ડ ટુરમાં હાર્દિકને ટી-20 ટીમનું, શિખરને વન-ડે ટીમનું સુકાન

Sunday 13th November 2022 08:02 EST
 
 

મુંબઇ: વર્લ્ડ કપ બાદ ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશના પ્રવાસે રવાના થશે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે (બીસીસીઆઇ)એ સોમવારે બંને પ્રવાસ માટે ટીમોની જાહેરાત કરી. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટી-20માં હાર્દિક પંડ્યા અને વન-ડેમાં શિખર ધવન કેપ્ટન્સી કરશે. આ બન્ને પ્રવાસમાં રોહિત-કોહલીને આરામ અપાયો છે.
ન્યૂઝીલેન્ડમાં 3 વન-ડે અને 3 ટી-20 રમાશે, જેનો પ્રારંભ 18 નવેમ્બરે ટી-20 મેચથી થશે. બાંગ્લાદેશમાં 2 ટેસ્ટ અને 3 વન-ડે રમાશે, જેનો પ્રારંભ 4 ડિસેમ્બરથી થશે. સીરિઝમાં ઈજાગ્રસ્ત રવીન્દ્ર જાડેજા 96 દિવસ બાદ કમબેક કરશે. વન-ડે અને ટી-20માંથી અશ્વિનની બાદબાકી કરાઈ છે, જ્યારે પૃથ્વી શો, સરફરાઝ ખાન, હનુમા વિહારી સહિતના ખેલાડીઓને તક આપવામાં આવી નથી.
બાંગ્લાદેશ સામે વન-ડે અને ટેસ્ટ ટીમ
• વન-ડેઃ રોહિત (કેપ્ટન), રાહુલ (વાઈસ કેપ્ટન), ધવન, કોહલી, રજત પાટીદાર, શ્રેયસ, રાહુલ ત્રિપાઠી, પંત (વિકેટકીપર), કિશન (વિકેટકીપર), જાડેજા, અક્ષર, સુંદર, શાર્દુલ, શમી, સિરાજ, દીપક, યશ દયાલ
• ટેસ્ટઃ રોહિત (કેપ્ટન), રાહુલ (વાઈસ કેપ્ટન), ગિલ, પૂજારા, કોહલી, પંત (વિકેટકીપર), ભરત (વિકેટકીપર), શ્રેયસ, અશ્વિન, જાડેજા, અક્ષર, કુલદીપ, શાર્દુલ, શમી, સિરાજ, ઉમેશ
ન્યૂઝીલેન્ડ સામે ટી-20 અને વન-ડે ટીમ
• ટી-20: હાર્દિક (કેપ્ટન), પંત (વાઈસ કેપ્ટન, વિકેટકીપર), ગિલ, કિશન, હુડ્ડા, સૂર્યકુમાર, શ્રેયસ, સેમસન (વિકેટકીપર), સુંદર, ચહલ, કુલદીપ, અર્શદીપ, હર્ષલ, સિરાજ, ભુવનેશ્વર, ઉમરાન
• વન-ડે: ધવન (કેપ્ટન), પંત (વાઈસ કેપ્ટન, વિકેટકીપર), ગિલ, હુડ્ડા, સૂર્યકુમાર, શ્રેયસ, સેમસન (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, શાર્દુલ, શાહબાઝ, ચહલ, કુલદીપ યાદવ, અર્શદીપ, દીપક, કુલદીપ સેન, ઉમરાન


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter