ભારતીય ક્રિકેટરો થાકી ગયા છેઃ ઝિમ્બાબ્વે પ્રવાસ રદ

Tuesday 23rd June 2015 07:16 EDT
 
 

હરારેઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે ટીમ ઇંડિયાના આગામી ઝિમ્બાબ્વે પ્રવાસને રદ કરી દીધો છે. આમ તો આ નિર્ણય પ્રસારણકર્તાઓ સાથેના મતભેદોને ધ્યાનમાં રાખીને કરાયો છે, પણ બોર્ડે પ્રવાસ રદ કરવા માટે ક્રિકેટરોના થાકનું બ્હાનું આગળ ધર્યું છે.
બોર્ડે જણાવ્યું હતું કે બાંગ્લાદેશના પ્રવાસે ગયેલી ભારતીય ટીમના ખેલાડીઓ થાકેલા છે અને આ કારણથી તેઓ ઝિમ્બાબ્વેનો પ્રવાસ ખેડશે નહીં. પ્રાપ્ત માહિતી અનુસાર, ભારતીય ટીમના ઘણા ખેલાડીઓએ સતત રમાઈ રહેલી ક્રિકેટ સિરીઝ અને અતિ વ્યસ્ત કાર્યક્રમ અંગે વારંવાર ફરિયાદો કરી છે. ખેલાડીઓએ પોતાના થાક અંગે પણ ફરિયાદ કરી છે. ખેલાડીઓએ દાવો કર્યો છે કે તેઓ ઇંગ્લેન્ડના પ્રવાસ બાદ સતત ક્રિકેટ રમી રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter