ભૂતપૂર્વ ક્રિકેટર વસંત રાયજીનું નિધન

Friday 19th June 2020 08:31 EDT
 
 

મુંબઇઃ ભૂતપૂર્વ ક્રિકેટર વસંત રાયજીનું નિધનઃ ભારતના સૌથી ઉંમરલાયક ફર્સ્ટ કલાસ ક્રિકેટર વસંત રાયજીનું શનિવારે નિધન થયું છે. તેઓ ૧૦૦ વર્ષના હતા. ૧૧ વર્ષની કરિયરમાં ૯ ફર્સ્ટ ક્લાસ મેચ રમનાર રાયજીએ ૨૭૭ રન કર્યા હતા. રાયજીએ ૧૯૩૯માં ક્રિકેટ કલબ ઓફ ઇન્ડિયા માટે ડેબ્યૂ કર્યું હતું. તેઓ વડોદરા માટે પણ રમ્યા. રાયજી ક્રિકેટ ઇતિહાસકાર હોવાની સાથે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ હતા. આ વર્ષે ૨૬ જાન્યુઆરીએ ૧૦૦મો જન્મદિવસ ઉજવ્યો હતો. તેમણે રણજીતસિંહજી, દુલીપસિંહજી અને સી.કે. નાયડૂ પર બાયોગ્રાફી લખી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter