શ્રીલંકન ક્રિકેટર ગુનાવર્દને અને ઝોયસા સામે મેચ ફ્કિસિંગનો આરોપ

Tuesday 14th May 2019 11:22 EDT
 
 

કોલંબોઃ શ્રીલંકાના ભૂતપૂર્વ બેટ્સમેન ગુનાવર્દને અને ફાસ્ટ બોલર નુવાન ઝોયસાની સામે આઇસીસીએ મેચ ફિક્સિંગનો આરોપ મૂક્યો છે. આઇસીસીએ બંને ક્રિકેટરોને ખુલાસો કરવા માટે ૧૪ દિવસ સમય આપ્યો છે અને આ પછી તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે તેમ નક્કી લાગે છે.
ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં યુનાઇટેડ આરબ અમિરાત (યુએઇ)માં ટી-૧૦ લીગ રમાઈ હતી. ક્રિકેટના આ તદ્દન નવા ફોર્મેટમાં ગુનાવર્દને અને ઝોયસા પણ સામેલ હતા અને તેમાં તેઓ મેચ ફિક્સિંગની પ્રવૃત્તિમાં સંડોવાયેલા હતા, તેવો આક્ષેપ આઇસીસીએ મૂક્યો છે. શ્રીલંકાના ભૂતપૂર્વ દિગ્ગજ ક્રિકેટર જયસુર્યા પર બે વર્ષનો પ્રતિબંધ મૂકાઈ ચૂક્યો છે. તેની પર તપાસમાં સહયોગ ન કરવાનો અને પુરાવા નષ્ટ કરવાનો આરોપ હતો.
શ્રીલંકાનો ભૂતપૂર્વ ક્રિકેટર ઝોયસા ૩૦ ટેસ્ટ અને ૯૫ વન ડે રમી ચૂક્યો છે. તે શ્રીલંકાનો બોલિંગ કોચ પણ રહી ચૂક્યો છે અને નવેમ્બર મહિનામાં જ તેને સસ્પેન્ડ કરી દેવાયો હતો. જ્યારે ગુનાવર્દને છ ટેસ્ટ અને ૬૧ વન-ડેમાં સામેલ રહી ચૂક્યો છે. તે ચાલુ વર્ષના પ્રારંભે શ્રીલંકાની ટીમના બેટીંગ કોચ તરીકેની જવાબદારી પણ સંભાળી ચૂક્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter