તાજી હવાવાળા રૂમમાં કણો દ્વારા થતા સંક્રમણનું જોખમ70 ટકા કરતાં વધુ ઘટે

Wednesday 25th November 2020 06:41 EST
 

તાજી હવાવાળા રૂમમાં રહેવાથી કણો દ્વારા થતા સંક્રમણનું જોખમ70 ટકા કરતાં વધુ ઘટી શકતું હોવાનું સંશોધન દર્શાવે છે. આ ફિલ્મ હેન્ડ્સ ફેઈસ સ્પેસ કેમ્પેઈનના ભાગરૂપ છે. તેમાં વાઈરસના ફેલાવાનું જોખમ ઘટાડવા માટે સ્વસ્થ આરોગ્યની જાળવણી માટે કેટલીક સાદી પદ્ધતિ અપનાવવા લોકોને અનુરોધ કરાયો છે.

સરકાર દ્વારા શરૂ કરાયેલા નવા લોક માહિતી અભિયાનમાં ઈન્ડોર સ્પેસમાં તાજી હવા આવે તો કોરોના વાઈરસના જોખમને 70 ટકા કરતાં વધુ કેવી રીતે ઘટી શકે તેના પર ધ્યાન કેન્દ્રીત કરાયું છે.

હેન્ડ્સ.ફેઈસ.સ્પેસ ગાઈડન્સના ભાગરૂપ આ કેમ્પેઈનમાં વૈજ્ઞાનિકો અને લીડ્સ યુનિવર્સિટીમા કાર્યરત એન્જિનિયર સાથે મળીને નવી શોર્ટ ફિલ્મ બનાવવામાં આવી છે.

તાજી હવા ન હોય તેવી જગ્યાએ આ કોરોના વાઈરસ કેવી રીતે હવામાં તરતો રહે છે અને લોકોના શ્વાસમાં સંક્રમિત કણો જવાનું જોખમ વધે છે તે અને બંધ જગ્યાઓમાં નિયમિતપણે હવાની અવરજવર થાય તો આ જોખમને કેવી રીતે નોંધપાત્ર ઘટાડી શકાય તે આ ફિલ્મમાં દર્શાવાયું છે.

આપણે વધુ સમય બંધ જગ્યામાં ગાળીએ છીએ. નિષ્ણાતોની ભલામણ છે કે રૂમમાં સંક્રમિત કણો તરતા હોય તો તેને બહાર કાઢવા માટે લોકોએ નિયમિતપણે દિવસ દરમિયાન ૧૦થી ૧૫ મિનિટ માટે થોડી પણ બારીઓ ખોલવી જોઈએ અથવા થોડી હવા આવતી રહે તેવી રીતે સતત બારી ખૂલ્લી રાખવી જોઈએ. વધુમાં એવી પણ સલાહ અપાઈ છે કે વધારાની પદ્ધતિ અથવા સંક્રમિત કણોને બહાર કાઢવા માટે કિચન અથવા બાથરૂમ એક્સ્ટ્રેક્ટર ફેન સહિત બહારની હવાનો ઉપયોગ કરતી ઘરની કોઈપણ સિસ્ટમનો યોગ્ય રીતે અને નિયમિતપણે ઉપયોગ કરતા રહેવું જોઈએ.

લીડ્સ યુનિવર્સિટીના પ્રો. કેથરિન નોક્સે જણાવ્યું કે રૂમમાં જ્યારે સહેજ પણ તાજી હવા ન આવતી હોય અને જ્યાં મોટી સંખ્યામાં લોકો દ્વારા ગાવાથી અને મોટેથી ભાષણ આપીને વધુ પ્રમાણમાં એરોસોલ ઉત્પન્ન થતું હોય ત્યારે સંક્રમણ ફેલાવાની શક્યતા સૌથી વધુ રહે છે. બહારથી તાજી ચોખ્ખી હવા આવવી જ જોઈએ. અંદરની હવા ફરતી રહે તો વાઈરસ સાથેના એરોસોલ્સ બહાર નીકળવાને બદલે તે રૂમમાં જ ફરતા રહે છે. કોરોના વાઈરસ હવામાં ડ્રોપલેટ્સ અને નાના કણો (એરોસોલ તરીકે જાણીતા) મારફતે ફેલાય છે. તે સંક્રમિત વ્યક્તિ શ્વાસ લે, બોલે અથવા ઉધરસ ખાય ત્યારે તેના નાક અને મોં વાટે નીકળે છે. તે ધૂમાડા જેવા જ હોય છે પણ દેખી શકાય તેવા નથી હોતા. વાઈરસનો મોટાભાગે ફેલાવો ઈન્ડોર થાય છે. બંધ રૂમમાં તાજી હવા ન હોવાથી આ કણો કલાકો સુધી હવામાં રહે છે. વ્યક્તિ તે રૂમમાં જેટલું વધારે રહે તેટલી જ સંક્રમિત થવાની શક્યતા વધી જાય છે.

GP ડો. આમીર ખાને જણાવ્યું કે આપના ઘરમાં કોઈને સંક્રમણ હોય તો ઈન્ડોર સ્પેસમાં હવાની અવરજવર થાય તે મહત્ત્વનું છે. કારણ કે તેનાથી ઘરના અન્ય લોકોને વાઈરસનું સંક્રમણ થતું અટકાવી શકાય છે. ઘરમાં કોઈ મુલાકાતી આવે ત્યારે પણ તાજી હવા આવતી રહે તેમ કરવું જોઈએ. હાથ ધોવાની સાથે ચહેરો માસ્કથી ઢાંકવાનું અને યોગ્ય અંતર જાળવવાનું કોવિડ-૧૯ના જોખમને ઘટાડવા માટે જરૂરી છે.

 કોરોના વાઈરસના લક્ષણો વિશે સતત સતર્ક રહેવા લોકોને પ્રોત્સાહિત કરવા જોઈએ. નવા લક્ષણોમાં સતત ઉધરસ, ખૂબ તાવ અથવા સ્વાદ કે સુગંધની શક્તિ ગુમાવવાનો સમાવેશ થાય છે. કોઈ વ્યક્તિને કોઈપણ લક્ષણ જણાય તો 119પર કોલ કરીને અથવા NHS.uk પર જઈને ફ્રી ટેસ્ટ કરાવો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter