મુખડાની માયા લાગી

આપણી કવિતાનો અમર વારસો...

- મીરાં Wednesday 30th July 2025 08:14 EDT
 
 

ઈસ્વી સન 16મી સદીમાં થઇ ગયેલાં મીરાંબાઈ એટલે પ્રેમલક્ષણા ભક્તિનું મૂર્ત સ્વરૂપ. મીરાંએ ગાયું નથી પણ એનાથી ગવાઈ ગયું છે. રજનીશજીનું નિરીક્ષણ સાચવવા જેવું છે. ટેબલ-ખુરશી પર બેસીને મીરાંએ ગીતો નથી લખ્યાં. રાણીપદ છોડ્યું એટલે એમના કૃષ્ણના પદ પ્રાપ્ત થયા.

મુખડાની માયા લાગી

મુખડાની માયા લાગી રે,
મોહન! તારા મુખડાની માયા લાગી રે.
મુખડું મેં જોયું તારું, સર્વ જગ થયું ખારું;
મન મારું રહ્યું ન્યારું ર... મોહન.
સંસારીનું સુખ એવું, ઝાંઝવાનાં નીર જેવું;
તેને તુચ્છ કરી ફરીએ રે... મોહન.
સંસારીનું સુખ કાચું, પરણી રંડાવું પાછું;
તેને ઘેર શીદ જઈએ રે?... મોહન.
પરણું તો પ્રીતમ પ્યારો, અખંડ સૌભાગ્ય મારો;
રંડાવાનો ભય ટળ્યો રે... મોહન.
મીરાંબાઈ બલિહારી, આશા મને એક તારી;
હવે હું તો બડભાગી રે... મોહન.

•••


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter