• જેલવાસી મિન્ડી મુક્ત થાય તેવી શક્યતાઃ પરિણીત પ્લેબોય બિઝનેસમેન પ્રેમી સાઈર અલીની ૧૭ વર્ષીય પત્ની સના અલીની ઘાતકી હત્યા કરવા બદલ ૨૦૦૭માં આજીવન જેલની સજા પામેલી શીખ વિદ્યાર્થિની મિન્ડી ઉર્ફ હરમોહિન્દર કૌર સંઘેરા જેલમુક્મુત થાય તેવા ઉજળાં સંજોગો છે. મિન્ડી બે વર્ષથી સાઈર અલી સાથે સંબંધ ધરાવતી હતી. આ પછી સાઈરે તેની કઝીન સના સાથે લગ્ન કરી લીધા હતા. મિન્ડીએ ગ્રેટર માન્ચેસ્ટર ખાતેના ઘરમાં સગર્ભા સનાને ૪૦થી વધુ ઘા માર્યાના કોઈ ફોરેન્સિક પૂરાવા મળ્યાં નથી.