9/11 હુમલાનાં 21 વર્ષઃ મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઇ

Thursday 15th September 2022 06:56 EDT
 
 

ન્યૂ યોર્કઃ અમેરિકામાં સપ્ટેમ્બર 11, 2001ના રોજ થયેલા દેશના ઈતિહાસનાં સૌથી ઘાતકી આતંકી હુમલાની 21મી તિથિ પર રવિવારે શ્રદ્ધાંજલિ સભા યોજાઇ હતી. આ આતંકી હુમલામાં 3000 લોકોના મોત થયા હતાં. મૃતકોના પરિવારોએ વર્લ્ડ ટ્રેડ સેન્ટર, પેન્ટાગોન અને પેન્સિલવેનિયા ખાતે મોટી માત્રામાં એકત્ર થઈને ભોગ બનેલા લોકોને નામ લઈને તેમની યાદમાં ચેરિટી સેવા આપી હતી. અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સૈન્ય પાછું ખેંચાયા પછી પહેલી તિથિ છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકાએ સપ્ટેમ્બર 11, 2001ના રોજ થયેલાં દેશનાં ઈતિહાસનાં સૌથી ઘાતકી આતંકી હુમલા પછી અલ-કાયદા સામે કાર્યવાહી કરવા અફઘાનિસ્તાન પર હુમલો કર્યો હતો. ઉપપ્રમુખ કમલા હેરિસ અને તેમના પતિએ ન્યુયોર્કમાં થઈ રહેલી શ્રદ્ધાંજલિ સભામાં હાજરી આપી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter