કેલિફોર્નિયાઃ જંગલોમાં ફાટી નીકળેલા દાવાનળનો પ્રકોપ સતત વધી રહ્યો છે. આ વાઈલ્ડ ફાયરના કારણે નાપા વેલીના વાઇન ઉત્પાદન કરનારા વિસ્તારમાં મોટાપાયે નુકસાન થયું છે અને ૨૦૦૦ લોકોનું તાકીદે સ્થળાંતર કરાયું છે. હજી ૩૦૦૦ લોકોને ગમે તે સમયે સ્થળાંતર માટે સજજ રહેવા આદેશ છે. રવિવારે રાત્રે અહીંયા બોસવેલ નામના પરિવાર દ્વારા ચલાવાતી વાઈનરી બળીને રાખ થઈ ગઈ છે. અહીંયા ૬૪ જેટલી વાઇનરી છે.