જગજીત પવાડિયા યુએન નોર્કોટિક્સ બોર્ડમાં ત્રીજા વખત ચૂંટાયા

Sunday 21st April 2024 09:23 EDT
 
 

ન્યૂ યોર્કઃ ભારતના જગજિત પવાડિયાની સતત ત્રીજી વખત ઇન્ટરનેશનલ નાર્કોટિક્સ કંટ્રોલ બોર્ડ (આઇએનસીબી)માં પસંદગી થઈ છે. તેમણે યુનાઇટે નેશન્સ આર્થિક અને સામાજિક પરિષદના 53 વોટિંગ સભ્યોમાંથી 41 વોટ હાંસલ કર્યા છે, જે તમામ વિજેતા સભ્ય દેશોમાં સૌથી વધુ છે. 1954માં જન્મેલા પવાડિયાએ 34 વર્ષ સુધી ભારત સરકારના મહેસૂલ વિભાગમાં અનેક વરિષ્ઠ હોદ્દા પર કામ કર્યું. તેઓ 2015થી આઈએનસીબીના સભ્ય છે. તેઓ મે 2019માં કાઉન્સિલ દ્વારા 2020થી 2025 સુધીના પાંચ વર્ષની મુદત માટે ફરી ચૂંટાયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter