ટ્રમ્પના એઆઇ સલાહકાર શ્રીરામ કૃષ્ણન પદ છોડશે

Saturday 13th June 2026 05:39 EDT
 
 

વોશિંગ્ટનઃ વ્હાઈટ હાઉસના એઆઈ પોલિસી એડવાઇઝર શ્રીરામ કૃષ્ણને કહ્યું કે તેઓ આ મહિનાના અંતમાં પોતાનું પદ છોડી દેશે. ભારતવંશી શ્રીરામ કૃષ્ણને સોશિયલ મીડિયા પર આ અંગેની માહિતી આપી છે. તેઓ અમેરિકા સામે એઆઈથી જોડાયેલા મોટા પડકારોનો સામનો કરવામાં મદદરૂપ થવા પર કામ કરશે. કૃષ્ણને ટ્રમ્પના વખાણ કરતાં કહ્યું હતું કે તેમના નેતૃત્વ વિના અમેરિકા એઆઈની વૈશ્વિક રેસમાં આગળ ન હોત. તેમણે 18 મહિનાના મહત્ત્વપૂર્ણ કાર્યોનો ઉલ્લેખ કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter