વોશિંગ્ટનઃ બાઈડેન વહીવટીતંત્રે બે ભારતીય અમેરિકી નિષ્ણાત સોહિણી ચેટરજી અને અદિતિ ગોરૂરની યુએનના અમેરિકી મિશન ખાતે મહત્ત્વના રાજદ્વારી પદે નિમણૂક આપી છે. સોહિણી ચેટરજી યુએનના અમેરિકી રાજદૂતના વરિષ્ઠ નીતિ વિષયક સલાહકાર તરીકે સેવા આપશે. સોહિણી ચેટરજી વૈશ્વિક વિકાસ, સંઘર્ષ અને સામૂહિક અત્યાતાર અવરોધ વિષયના નિષ્ણાત છે. તેઓ કોલંબિયાના યુનિવર્સિટીના સ્કૂલ ઓફ ઇન્ટરનેશનલ એન્ડ પબ્લિક અફેરમાં સેવા આપતા હતા. ભૂતકાળમાં તેઓ બ્યુરો ઓફ પોલીસીમાં પણ કામ કરી ચૂક્યાં છે.