નવી દિલ્હીઃ અમેરિકાના મિસોરી ખાતે ચાલવા નીકળેલા ભારતીય કુચીપુડી નૃત્યકાર અમરનાથ ઘોષની અજ્ઞાત વ્યક્તિ દ્વારા ગોળી મારીને હત્યા કરી નંખાતા ભારતીય સમુદાયમાં ચિંતા સાથે આક્રોશનું મોજું ફરી વળ્યું છે. ભારત સરકારનું કહેવું છે કે આ કેસમાં તે અમેરિકન અધિકારીઓના સંપર્કમાં છે, જ્યારે શિકાગોમાં ભારતીય દૂતાવાસ તરફથી પણ કહેવાયું છે કે તેઓ તપાસ પર નજર રાખી રહ્યા છે અને સ્થાનિક અધિકારીઓના સંપર્કમાં છે.
અમરનાથ ઘોષ વોશિંગ્ટન યુનિવર્સિટીમાં ડાન્સમાં એફએફએ કરી રહ્યા હતા. પોલીસને હજુ હત્યારા અને હત્યા કરવા પાછળનું કારણ કશું જાણવા નથી મળ્યું.
ભારતીય દૂતાવાસે એક્સ પર એક પોસ્ટમાં કહ્યું કે, મિસોરીમાં સેન્ટ લૂઇસમાં મૃત્યુ પામેલા ઘોષના પરિવારો અને મિત્રો પ્રતિ ઊંડી સંવેદના. અમે પોલીસ સાથે તપાસ કરી રહ્યા છીએ અને મદદ કરી રહ્યા છીએ. હત્યાના આ બનાવ વિશે ટીવી કલાકાર દેવોલીના ભટ્ટાચારજીએ એક પોસ્ટમાં વડાપ્રધાન મોદીને મદદ કરવા અપીલ કરી હતી.