મોદી વોશિંગ્ટનમાં ભારતીયોને સંબોધશે

Saturday 17th June 2023 07:59 EDT
 
 

વોશિંગ્ટનઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 21થી 24 જૂનના અમેરિકા પ્રવાસ દરમિયાન 23 જૂને વોશિંગ્ટનમાં ભારતીય-અમેરિકનોને સંબોધિત કરશે. ભારતીય-અમેરિકન સમુદાયના નેતા ડો. ભરત બારાઈએ જણાવ્યું હતું કે, પીએમ મોદી 23 જૂને રોનાલ્ડ રિગન ટ્રેડ સેન્ટરમાં ભારતીય પ્રવાસીઓને સંબોધશે. અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રિગનના નામે બનેલા આ સ્થળમાં 900 લોકોની બેઠક ક્ષમતા છે. પીએમની મુલાકાત દરમિયાન યોજાનારા એકમાત્ર કોમ્યુનિટી ઇવેન્ટની તૈયારી પૂરજોશમાં ચાલે છે. આ માટે 25 પ્રતિષ્ઠિત લોકોની રાષ્ટ્રીય આયોજન સમિતિની રચના કરાઇ છે.
બારાઈએ કહ્યું કે, પહેલાં શિકાગોના સ્ટેડિયમમાં આ કાર્યક્રમનું આયોજન થવાનું હતું, જેથી 40 હજાર લોકો તેમાં ભાગ લઈ શકે પણ આ શક્ય બની શક્યું નહીં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter