સેક્રામેન્ટોમાં અંધાધૂંધ ગોળીબારઃ 6નાં મોત, 9 ઘાયલ

Wednesday 06th April 2022 07:10 EDT
 
 

સેક્રામેન્ટો: કેલિફોર્નિયા રાજ્યના પાટનગર સેક્રામેન્ટોમાં ગોળીબારની ઘટનામાં છ લોકોનાં મોત થયા છે અને અન્ય છ ઘાયલ થયા હોવાનું પોલીસે એક નિવેદનમાં જણાવ્યું છે. સેક્રામેન્ટો પોલીસ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર ગોળીબારની આ ઘટના રવિવાર વહેલી સવારે બની હતી.
ટ્વિટર પર અપલોડ કરવામાં આવેલા વીડિયોમાં જોઇ શકાય છે કે ગોળીબારનો અવાજ સંભળાતા લોકો રસ્તામાં ભયભીત થઇને આમથી તેમ દોડી રહ્યાં છે. વીડિયોમાં એ પણ જોઇ શકાય છે કે ઘટનાની જાણ થતાં જ મોટા પ્રમાણમાં પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે આવી પહોંચી હતી.
થોડાક સમય માટે સમગ્ર વિસ્તારની નાકાબંદી કરી લેવામાં આવી હતી. પોલીસે આ ઘટના અંગે વધુ વિગતો આપી નથી. ઘટના સ્થળે મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરવામાં આવી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter