છિંદવાડાઃ થોડા સમય પહેલા અક્ષય કુમારની એક ફિલ્મ આવી હતી જેમાં જંગી સંપત્તિનો માલિક તેની મિલકત વફાદાર કુતરાના નામે કરી દે છે. આવું જ કંઇ મધ્ય પ્રદેશના છિંદવાડામાં થયું હતું. કુતરાના માલિકે અડધી મિલકત કુતરાને લખી દીધી ને વસિયતમાં લખ્યું કે જે કોઇ પણ વ્યક્તિ મારા કુતરાની સંભાળ રાખશે તેને આ રકમ મળશે. ઘટના છિંદવાડાના બારીબડા ગામની છે. ૫૦ વર્ષના એક ખેડુત ઓમ વર્માએ બબ્બે લગ્ન કર્યા હતા. પ્રથમ પત્નીથી ત્રણ પુત્રીઓ અને એક પુત્ર હતો જ્યારે બીજી પત્નીથી બે પુત્રીઓ છે.
ઓમ વર્માએ સંપત્તિનો અડધો ભાગ બીજી પત્નીના નામે તો બાકીનો અડધો ભાગ વફાદાર કુતરાના નામે કર્યો હતો. ખેડુત ઓમ વર્મા પોતાના શ્વાનને ખુબ ચાહે છે અને કુતરો પણ વર્માનું ખુબ ધ્યાન રાખે છે. કુતરાનું નામ જેકી છે. જોકે ખેડુત ઓમ વર્મા પોતાના પુત્રના વ્યવહારથી ખુબ નારાજ હતા.
આથી તેણે વસિયતમાં લખી નાંખ્યું છે કે મારી અડધી સંપત્તિ મારા વફાદાર કુતરાને આપજો. જે કોઇ પણ વ્યક્તિ મારા કુતરાની સંભાળ રાખશે તેને આ મિલકત મળશે.