ચિનાબ રેલવે પુલ બનાવવાના નિર્ણયથી લઈને તેના ઉદ્ઘાટન સુધી 22 વર્ષનો સમય લાગ્યો. ચિનાબ પુલ બનાવવામાં આ સમય કેમ લાગ્યો? તેની વિશેષતા શું છે? ચાલો જાણીએ.
સમગ્ર પ્રોજેક્ટમાં એક મોટો પડકાર રિયાસીમાં ચિનાબ નદી પર પુલ બનાવવાનો હતો. કારણ, ચિનાબ નદી પર્વતો વચ્ચે ખાઈ જેવા રસ્તે વહે છે. જેના પર પુલ બનાવવો મુશ્કેલ કાર્ય હતું, ચિનાબ રેલવે બ્રિજ બનાવવામાં બે દાયકા લાગ્યા. જોકે, તેના ઉદ્ઘાટન પછી, કાશ્મીર ખીણ અને જમ્મુ વચ્ચે સીધો રેલ સંપર્ક બન્યો છે. હવે લોકો કન્યાકુમારીથી કાશ્મીર ખીણ સુધી સીધી મુસાફરી કરી શકશે.
બ્રિજ બનાવવા માટે સ્ટીલ આર્ચ ડિઝાઈન ટેક્નોલોજી
જમ્મુ-કાશ્મીરના પહાડી પ્રદેશમાં રસ્તાઓ કેટલીક જગ્યાએ સાંકડા અને કેટલીક જગ્યાએ વળાંકવાળા છે. ઉપરાંત, ત્યાં ઘણી ખીણ અને મેદાની રસ્તા પણ છે. ચિનાબ નદી પહાડ વચ્ચે જે ખાઈમાં વહે છે તે ખૂબ ઊંડી છે. સામાન્ય રીતે, પુલ બનાવવા માટે કેન્ટીલીવર ટેક્નોલોજી, સસ્પેન્શન બ્રિજ ટેક્નોલોજી અથવા કેબલ બ્રિજ ટેક્નોલોજીનો ઉપયોગ કરાય છે. પરંતુ ચિનાબની આસપાસની જમીનને ધ્યાનમાં લેતા. સ્ટીવ આર્ચ ડિઝાઇનની તર્જ પર પુલ બનાવવાનો નિર્ણય લેવાયો. આ પુલ કેનેડિયન કંપની WSP દ્વારા ડિઝાઇન કરાયો છે. આ પુલ સ્ટીલના 17 થાંભલા પર બનાવવામાં આવ્યો છે. જે ધનુપાકાર લોખંડના પાયા પર સ્થાપિત છે. આ કમાન ચિનાબ નદીની બંને બાજુએ રહેલી ટેકરીઓ પર સ્થાપિત છે અને તે પુલની મધ્યમાં 469 મીટર ઘેરાવાને અડીને છે. બાકીનો ભાગ થાંભલાઓ પર જ સ્થાપિત થયેલો છે. તેને બનાવવા માટે, ચિનાબ નદીનો બને બાજુએ 3,000 ફૂટની ઊંચાઈ સુધી કામ કરતી કેબલ ક્રેન સ્થાપિત કરવામાં આવી હતી.
ચિનાબ નદી પર પુલની જરૂર કેમ હતી?
આ પુલના નિર્માણ પહેલા ભારતીય રેલવે વ્યવસ્થા કેન્દ્રશાસિત પ્રદેશના જમ્મુ ક્ષેત્ર સુધી મર્યાદિત હતી. એટલે કે, જો તમે ટ્રેન ટિકિટ બુક કરાવો તો તમને ખબર પડશે કે જમ્મુ-કાશ્મીર જતી ટ્રેનો રાજધાની શ્રીનગર સુધીની નહીં પરંતુ ફક્ત જમ્મુ તાવી સુધી જ જવાની સુવિધા આપે છે. ત્યાર પછી શ્રીનગર (કાશ્મીર ખીણ) સુધી રોડ માર્ગે 350 કિલોમીટર મુસાફરી કરવી પડતી હતી. શિયાળાની ઋતુમાં હિમવર્ષા પછી, આ માર્ગ બંધ થવાનો ભય રહે છે, જેના કારણે કાશ્મીર જવા માટે કાં તો હવામાન સુધરવા રાહ જોવી પડે અથવા કોઈ શહેરમાંથી હવાઈમાર્ગનો સહારો લેવો પડતો હતો.
જર્મની - કોરિયા પણ નિર્માણમાં સામેલ
પ્રોજેક્ટ માટે સલાહકાર તરીકે WSP ઉપરાંત જર્મનીની લિયોનહાર્ટ એન્ડ સામેલ હતી. ઉપરાંત પુલ બનાવવાની જવાબદારી કોંકણ રેલવેએ લીધી, આમાં, AFCONS ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અલ્ટ્રા કન્સ્ટ્રક્શન અને દક્ષિણ કોરિયાની એન્જિનિયરિંગ કંપની સાથે ભારતની VSL પણ સંયુક્ત સાહસમાં જોડાઈ હતી.