વિશ્વનિવાસી ભારતવાસીઓના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 સપ્ટેમ્બરે 75 વર્ષના થયા છે તે પ્રસંગે તેમના જીવનકવનને તેમના જ શબ્દોમાં તાદશ રજૂ કરતી પંક્તિઓ મથાળામાં રજૂ કરી છે. ગુજરાતના આ રાજપુરુષ જેટલા વિચક્ષણ છે, ઉત્તમ વિઝનરી છે તેટલા જ મોટા ગજાના સર્જક પણ છે. આ સાથે રજૂ કરેલી તસવીરો કાર્યકર નરેન્દ્ર મોદીથી લઇને મુખ્યમંત્રી, વડાપ્રધાન, ધર્મપ્રેમી અને રાષ્ટ્રપ્રેમી મોદીનું વ્યક્તિત્વ રજૂ કરે છે.


