અનુપમ મિશનઃ આધ્યાત્મિક સત્વ સાથે સાત્વિક ભોજન

Tuesday 10th October 2023 00:38 EDT
 
 

અનુપમ મિશન ‘ભક્તિયોગ’ અને ‘કર્મયોગ’ના સમન્વય થકી તેમની આધ્યાત્મિક ફિલસુફીને આગળ વધારે છે. તેઓ માનવતાની સેવા દ્વારા ઈશ્વરની સેવામાં માને છે. પરમ પૂજ્ય સાહેબજીની દિવ્ય ઉપસ્થિતિમાં વિવિધ ધાર્મિક/ આધ્યાત્મિક કાર્યક્રમો ચાલતા રહે છે અને આ કાર્યક્રમો પછી સાત્વિક ભોજન પીરસાય છે. રસોઈઘરમાં સ્વયંસેવકો આધ્યાત્મિક સત્વ સાથે સાત્વિક ભોજન પીરસવામાં ભારે સમર્પિત ભાવનાથી કાર્ય કરે છે. ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના પ્રકાશક અને એડિટર-ઈન-ચીફ સી.બી. પટેલે રસોઈઘરની મુલાકાત લીધી હતી અને સ્વયંસેવકો સાથે મુલાકાત કરવામાં તથા સ્વચ્છતા અને સંચાલન નિહાળીને ધન્યતા અનુભવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter