કેરળના ગવર્નર આરિફ મોહમ્મદ ખાનની મહાકાલ પૂજા

Wednesday 12th January 2022 05:35 EST
 
 

કેરળના ગવર્નર આરિફ મોહમ્મદ ખાને આઠમી જાન્યુઆરીએ ઉજ્જૈન નગરની મુલાકાત દરમિયાન ભગવાન મહાકાલનું પૂજન-અર્ચન કર્યું હતું. ગવર્નર ખાન સવારે મહાકાલેશ્વરની આરતીમાં પણ ઉપસ્થિત રહ્યા હતા અને શિવપંચાક્ષર મંત્રના જાપ કર્યા હતા. સમગ્ર પૂજનવિધિ દરમિયાન આંખો બંધ કરીને કરીને તેઓ એકચિત્તે મહાકાલની ભક્તિમાં ગળાડૂબ જોવા મળ્યા હતા. આરિફ મોહમ્મદ ખાને દેશ-દુનિયાને કોરોનાથી મુક્તિ માટે પ્રાર્થના કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter