યુએસ રાજદૂતે મેળવ્યું ‘ભાગવત’ જ્ઞાન: રાષ્ટ્ર કેવી રીતે બને મહાન?

Sunday 19th September 2021 06:37 EDT
 
 

ભારત ખાતે અમેરિકાના રાજદૂત અતુલ કેશપે નવમી સપ્ટેમ્બરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતની સૌજન્ય મુલાકાત લીધી હતી. બાદમાં અતુલ કેશપે ભાગવત સાથેની મુલાકાતની તસવીરો ટ્વિટર પર શેર કરીને જણાવ્યું હતું કે ભારતની વૈવિધ્યતા, લોકશાહી તથા સર્વસમાવેશકતા કેવી રીતે એક મહાન રાષ્ટ્રની ખરી તાકાત છે એ જાણવા મળ્યું. તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયા તથા જર્મનીના રાજદૂતોએ પણ સંઘના નાગપુરસ્થિત મુખ્ય મથકે મોહન ભાગવતની મુલાકાત લીધી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter