ઇઝરાયેલી હુમલામાં ૪૧ પેલેસ્ટાઈનવાસીઓનાં મોત

Wednesday 16th May 2018 08:12 EDT
 
 

ગાઝા: ઇઝરાયેલી દળોએ સોમવારે ગાઝા સરહદના વિસ્તાર ઉપર કરેલા હુમલામાં ૪૧ પેલેસ્ટાઈનવાસીઓનાં મોત નીપજ્યાં હતા. જેરુસલામમાં અમેરિકા તેની એલચી કચેરી શરૂ કરવાની તૈયારી કરી છે ત્યારે તેની સામે તેઓ વિરોધ પ્રદર્શન કરતા હતા.
૨૦૧૪ના ગાઝા યુદ્ધ બાદ અને ૩૦મી માર્ચે ઇઝરાયેલ દ્વારા સરહદ પર સંખ્યાબંધ વિરોધ પ્રદર્શનરૂપે ગ્રેટ માર્ચ ઓફ રિટર્ન ઉપર પણ કરેલા હુમલા બાદ એક જ દિવસે સૌથી મોટો મરણાંક સોમવારના આ હુમલામાં નોંધાયો હતો. આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે, ૯૦૦ પેલેસ્ટાઈનવાસીઓને ઈજા થઈ હતી અને તેમાંથી લગભગ ૪૫૦ને ગોળી વાગી છે. સોમવારે સરહદે હજારો લોકો એકત્ર થયા હતા. તેઓ ઇઝરાયેલની સરહદી વાડ તરફ જતાં હતા. ઇઝરાયેલે એક રેખાને ઓળંગવાની પેલેસ્ટાઈનવાસીઓને મંજૂરી આપી નથી. પ્રદર્શનકારીઓએ ટાયરો બાળવા લાગતાં હવામાં કાળો ધુમાડો ફેલાઈ ગયો હતો. ગાઝાનાં વિજ્ઞાાન શિક્ષક અલીએ કહ્યું હતું કે, આજે અમે વાડને ઓળંગીશું અને ઇઝરાયેલ અને વિશ્વને કહીશું કે અમે કાયમ કબજાને સ્વીકારીશું નહીં. તેમણે કહ્યું કે, ઘણા લોકો શહીદ થયા છે, પરંતુ વિશ્વ અમારો સંદેશો સાંભળશે. કબજાનો અંત આવવો જ જોઈએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter