ઓમાનથી દુબઈ જતી બસને અકસ્માતઃ ૮ ભારતીય સહિત ૧૭નાં મોત

Wednesday 12th June 2019 07:24 EDT
 

દુબઈઃ ઓમાનથી સંયુક્ત આરબ અમીરાતના દુબઈ સુધી જઈ રહેલી પ્રવાસી બસ સાતમી જૂને હાઇવે પરના એક સાઇનબોર્ડ સાથે ટકરાઈ જતાં અકસ્માતગ્રસ્ત બની હતી. આ અકસ્માતમાં આઠ ભારતીય સહિત ૧૭ પ્રવાસીનાં મોત થયાં હતાં. દુબઈ પોલીસે જણાવ્યું હતું કે, સાતમીએ સ્થાનિક સમય પ્રમાણે સાંજે ૬ કલાકે શેખ મોહમ્મદ બિન ઝાયેદ રોડ પર ઓમાનથી દુબઈ આવી રહેલી પ્રવાસી બસ એક સાઇનબોર્ડ સાથે ટકરાઈ અકસ્માતગ્રસ્ત બની હતી. જેમાં ઓછામાં ઓછા ૧૭ પ્રવાસીનાં મોત થયાં હતાં. અકસ્માતના પગલે ઓમાનમાં સરકારી માલિકીની બસ કંપની વસાલતે મસ્કતથી દુબઈ જતી બસ સેવાઓ તાત્કાલિક અસરથી રદ કરી દીધી હતી.
અકસ્માતમાં ભારતીય મૃતકો
રાજગોપાલન, ફિરોઝખાન પઠાણ, રેશમા ફિરોઝખાન પઠાણ, દીપક કુમાર, જમાલુદ્દીન અર્કાવીટ્ટીલ, કિરણ જ્હોની, વાસુદેવ, તિલકરામ જવાહર ઠાકુર


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter