દારેસલામઃ તાન્ઝાનિયાના બૂકોબા જિલ્લામાં ૫.૭ની તીવ્રતાના ભૂકંપથી ૧૧ લોકોના મોત નીપજ્યાં હતા અને ૧૦૦થી વધુ લોકોને ઈજા પહોંચી છે. બુકાબોમાં સપાટીથી ૧૦ કિલોમીટરની ઊંડાઈ પર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું. ભૂકંપના કારણે અનેક ઇમારતોને ભારે નુકસાન થયું હતું. ભૂકંપના આંચકાના કારણે કેટલીક ઈમારતો તૂટી પડી છે અને તેના કાટમાળમાં અનેક લોકો ફસાયા છે. ઈજાગ્રસ્તોથી હોસ્પિટલો ભરાઈ ગઈ હોવાનું રાહત કર્મચારીઓએ જણાવ્યું હતું.