વોશિંગ્ટનઃ સંયુક્ત રાષ્ટ્રની જનરલ એસેમ્બલી સમિતિ દ્વારા ૨૯મીએ અણુ શસ્ત્રો પર પ્રતિબંધ લાદતો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. આ ઠરાવ ૧૨૩ વિરુદ્ધ ૩૮ મતથી પસાર કરવામાં આવ્યો હતો. જોકે મતદાન વખતે ભારત, ચીન, અને પાકિસ્તાન સહિત કેટલાક દેશો ગેરહાજર રહ્યા હતા.
અણુ શસ્ત્રો પર પ્રતિબંધ લાદતા નવા કરાર અંગે નવેસરથી વાતચીત શરૂ કરવાનો આ ઠરાવનો ઉદ્દેશ હતો.