ઈસ્લામાબાદ: પાકિસ્તાન આર્મીએ ફરી એકવાર પોતાનો મુદ્રાલેખ બદલ્યો છે. તેના મુદ્રાલેખમાં હવે ઉપર લખાયું છેઃ ‘જેહાદ અમારી નીતિ’ છે. આ સાથે પાકિસ્તાન આર્મીના પ્રવકતાએ જણાવ્યું હતું કે જનરલ અસીમ મુનીર ‘જેહાદી જનરલ’ છે. પાક. આર્મીના પ્રવકતાએ કહ્યું હતું કે જનરલ ઝિયા-ઉલ-હક્કના સમયમાં પણ આર્મીનો મુદ્રાલેખ પણ બદલી નંખાયો હતો. મૂળ મુદ્રાલેખ હતોઃ ‘'ઈત્તેદાહ, યકીન, તનઝીમ’ (એકતા, શ્રદ્ધા, વિશ્વાસ અને શિસ્ત) તે મુદ્રાલેખ બદલી તેને ધાર્મિક સ્વરૂપ અપાયું છે. નવો મુદ્રાલેખ આ પ્રમાણે છેઃ ‘ઈમાન, તકવા, જીહાદ-કી-સબઈલ્લાહ’ (શ્રદ્ધા, વિશ્વાસ, કરુણા અને અલ્લાહનાં નામે સંઘર્ષ)