પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન શરીફની હાલત અત્યંત નાજુક

Friday 25th January 2019 07:27 EST
 
 

લાહોર: પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફને હૃદયમાં તકલીફ ઊભી થયા પછી તેમની તબિયત અત્યંત નાજુક થઈ ગઈ હતી. તબીબોના આ સૂચન પછી તેમને જરાય વિલંબ વગર ફરીથી હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ ચાલી હતી. લાહોર જેલમાં સાત વર્ષની સજા ભોગવી રહેલા ૬૯ વર્ષના શરીફને ૨૪મીએ છાતીમાં દુઃખાવો થતાં કોટલખપત જેલમાંથી હોસ્પિટલમાં ખસેડાયા હતા. મેડિકલ ટેસ્ટ કરાયા પછી હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી અને તેમને ફરીથી જેલ લઈ જવાયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter