વોશિંગ્ટનઃ અમેરિકાના એક રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાન દ્વારા આતંકીઓ સામે કાર્યવાહીના જે દાવા કરવામાં આવી રહ્યા છે તે પોકળ સાબીત થયા છે, કેમ કે હજુ પણ ખુદ પાકિસ્તાન દ્વારા જ લશ્કરે તોયબા અને જૈશ જેવા આતંકી સંગઠનોમાં આતંકીઓની ભરતી કરાવવામાં આવી રહી છે.
આ આતંકીઓનો બાદમાં ભારત વિરુદ્ધ ઉપયોગ કરવામાં આવે છે. અમેરિકાના વિદેશ મંત્રાલય દ્વારા જારી વાર્ષીક રિપોર્ટમાં જણાવ્યું હતું કે પાકિસ્તાન જૈશ-એ-મોહમ્મદ અને લશ્કરે તોયબા જેવા આતંકી સંગઠનો પર પ્રતિબંધ મુકવામાં નિષ્ફળ રહ્યું છે. આ સંગઠનો સતત આતંકીઓની ભરતી કરી રહ્યું છે અને હથિયારો માટે ફંડ પણ એકઠુ કરી રહ્યું છે છતા તેની વિરુદ્ધ કોઇ જ કાર્યવાહી નથી કરવામાં આવી રહી.