પેશાવરઃ ખાયબર પખ્તુનખ્વા પ્રાંતમાં ઉદ્દામવાદી ઇસ્લામિસ્ટ પક્ષના સભ્યોના નેતૃત્વમાં હિંદુ મંદિરની તોડફોડ બદલ પાકિસ્તાનની ત્રાસવાદ વિરોધી કોર્ટે મુખ્ય આરોપી સહિત પંચાવનને નવ દિવસની જેલની સજા ૧૦મીએ ફટકારી હતી. કોર્ટે ટોળાને ઉશ્કેરનાર મૌલવી શરીફ સહિત અન્ય ૫૬ આરોપીઓને પણ જેલની સજા ફટકારી હતી. પોલીસે જણાવ્યું કે, બનાવના મુખ્ય આરોપી ફૈઝુલ્લાહને કારક જિલ્લામાંથી ઝડપી લેવાયો હતો, જેની ઉશ્કેરણીથી મંદિરમાં આવેલી એક ધાર્મિક અગ્રણીની સમાધિને પણ નુકસાન પહોચાડાયું હતું. પાકિસ્તાનમાં વસતા હિંદુ નાગરિકોએ મંદિરની દાયકાઓ જૂની ઇમારતના જિર્ણોદ્ધાર માટે સ્થાનિક સત્તાવાળાઓ પાસે પરવાનગી મેળવતા ખાયબર પખ્તુનખ્વાના કારક જિલ્લાના તેર્રી ગામે આવેલા મંદિર પર તોફાનીઓએ હલ્લો કર્યો. ઝનૂનીઓએ મંદિરના જૂના માળખાની સાથે નવું બાંધકામ તોડી પાડયું હતું.