લાહોરઃ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના વેપારી તાહિર તામરીએ પોતાના પિતા અને બે ભાઈઓની મદદથી એક હિન્દુ કિશોરીનું અહરણ કરીને તેનું ધર્માંતરણ કરાવ્યું છે. નૈના નામની ૧૭ વર્ષની યુવતીને તેના પરિવારને પાછી સોંપવા માટે હિન્દુઓ માગ કરી રહ્યા છે. તેના પિતા રઘુરામે કરેલી પોલીસ ફરિયાદ પ્રમાણે ૧૩ માર્ચે ૬ વ્યક્તિઓએ પુત્રીનું અહપણ કર્યું હતું. જેમાં મુખ્ય આરોપી તાહિર તામરી તેને કરાચીના બંદર પર લઈ ગયો હતો. ૧૪ માર્ચે એક સમારોહમાં મારી પુત્રી પાસે બળજબરથી ઈસ્લામ ધર્મ અંગિકાર કરાવાયો હતો. નૈનાને એ પછી નૂર ફાતિમા નામ આપીને તાહિર સાથે લગ્ન કરાવાયા હતા.