હિન્દુ ફોરમ ઓફ યુરોપના રાગસુધા વિન્જામુરીએ રોમના સેન્ટ પીટર્સ સ્ક્વેર ખાતે મુલાકાત દરમિયાન પોપ લીઓનું અભિવાન કર્યું હતું. યુકે અને યુરોપના ધાર્મિક પ્રતિનિધિઓ તાજેરમાં રોમમાં આયોજિત બે દિવસીય કોન્ફરન્સ ‘બિલ્ડિંગ ફ્રેટર્નિટી થ્રુ ડાયાલોગ એન્ડ કોલાબરેશન’માં હાજરી આપવા ગયા ત્યારે પોપ લીઓ સાથે મુલાકાતની તક મળી હતી. આ કોન્ફરન્સમાં ઓશવાલ એસોસિયેશનના સંદીપ શાહ, જૈન સ્ટુડન્ટ ફોરમના હિરક દોશી, યુનિવર્સિટી ઓફ વોરવિકના ડો. હરજિન્દર સિંહ લાલી અને હિન્દુ ફોરમ ઓફ યુરોપના રાગસુધા વિન્જામુરીએ પ્રવચનો કર્યા હતા.


