બગદાદમાં આત્મઘાતી વિસ્ફોટઃ ૩૨નાં મોત

Tuesday 26th January 2021 15:02 EST
 

બગદાદઃ ઈરાકના પાટનગર બગદાદના મધ્યમાં આવેલી તાયારાન સ્ક્વેરમાં સેકંડ હેન્ડ કપડાની વિશાળ ઓપન એર ભરચક માર્કેટમાં ૨૧મીએ એક સાથે બે આત્મઘાતી બોમ્બર્સે વિસ્ફોટ કરતાં ૩૨ લોકોનાં મોત થયાં હતાં અને ૭૩ લોકો ઘાયલ થયાંના અહેવાલ ઈરાકના સત્તાવાર સમાચાર માધ્યમોએ પ્રસારિત કર્યાં હતાં. ઈરાકી મીડિયાએ ઉમેર્યું હતું કે, પાછલા ત્રણ વર્ષમાં શહેરમાં નોંધાયેલા હુમલામાં આ સૌથી વધુ જીવલેણ હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter