બલુચિસ્તાનમાં ૧૧ શિયા મુસ્લિમ મજૂરોની ઘાતકી હત્યા

Tuesday 05th January 2021 11:50 EST
 

કરાચીઃ પાકિસ્તાનમાં લઘુમતીઓની સાથે શિયા મુસ્લિમો પર પણ હુમલા વધવા લાગ્યા છે. અહીંના બલોચ વિસ્તારમાં શિયા હઝારા કોમ્યુનિટી પર તાજેતરમાં હુમલો કરવામાં આવ્યો હતો. જેને પગલે અહીંની ખાણમાં કામ કરી રહેલા ૧૧ લોકોના મોત થયાના અહેવાલ છે.
અજાણ્યા બંદુકધારી દ્વારા સૌથી પહેલાં આ મજૂરોનું અપહરણ કરી લેવાયું હતું અને બાદમાં તેમની ગોળી મારીને હત્યા નિપજાવી હતી. મોચ કોલ નામના સ્થળે જ છ લોકો માર્યા ગયા હતા જ્યારે અન્ય લોકોને હોસ્પિટલમાં લઇ જવાઇ રહ્યા હતા ત્યારે રસ્તામાં જીવ ગુમાવ્યો હતો. આ હુમલામાં ૧૦ જેટલા મજૂરો ઘવાયા હતા.
આ ઘટના બાદ મોડા મોડા જાગેલી પોલીસ અને સ્થાનિક પ્રશાસન સ્થળે દોડી ગયું હતું. લઘુમતીઓ અને શિયા મુસ્લિમોની સુરક્ષા કરવામાં નિષ્ફળ પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને આ હુમલાની નિંદા કરી સંતોષ માની લીધો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter