બાંગ્લાદેશમાં ‘બોયકોટ ઇન્ડિયા’ ઝૂંબેશઃ શેખ હસીનાએ કહ્યું, ‘પહેલાં પત્નીની સાડી બાળો’

Saturday 06th April 2024 06:05 EDT
 
 

નવી દિલ્હી: બાંગ્લાદેશનાં વડાંપ્રધાન શેખ હસીનાએ વિરોધ પક્ષ દ્વારા ચલાવાઇ રહેલા ‘બોયકોટ ઇન્ડિયા’ અભિયાન સામે સવાલ ઉઠાવતાં કહ્યું હતું કે બાંગ્લાદેશ નેશનલ પાર્ટી (બીએનપી)ના નેતાઓ જો તેમના નિર્ણય પ્રતિ વફાદાર હોય અને ભારતીય વસ્તુઓનો બહિષ્કાર કરવા જ માગતા હોય તો પહેલાં તો તેમની પત્નીઓએ પહેરેલી ભારતીય સાડીને બાળી નાખે. વિરોધ પક્ષ આક્ષેપ કરી રહ્યો છે કે ભારત બાંગ્લાદેશના આંતરિક રાજકારણમાં હસ્તક્ષેપ કરે છે. આ આક્ષેપ સાથે વિરોધ પક્ષે ‘બોયકોટ ઇન્ડિયા'નું આહવાન આપેલું છે.
શેખ હસીનાએ કહ્યું હતું કે, બીએનપી નેતાઓ ભારતીય પ્રોડક્ટ્સનો બહિષ્કાર કરવાની વકીલાત કરી રહ્યા છે. તેઓ પોતાની પત્ની પાસેથી સાડીઓ લઈને કેમ બાળી નથી નાખતા ? તેઓ ભારતીય તેજાના સિવાય ભોજન ખાઈ શકશે?


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter