ભારતીય સેનાએ ૭ સૈનિકો માર્યા: પાકિસ્તાન

Wednesday 16th November 2016 07:41 EST
 

ઇસ્લામાબાદઃ ૨૦૦૩માં યુદ્ધવિરામની ઘોષણા થયા બાદ અત્યાર સુધીમાં સેંકડો વાર ઉલ્લંઘન કરી ચૂકેલા પાકિસ્તાને ભાગ્યે જ સ્વીકાર્યું છે કે તે ઉશ્કેરણી વિના ભારતીય સેના પર હુમલા કરી રહ્યો છે અને ભારતીય સેનાના વળતા જવાબમાં તેની સેનાની પણ ખુવારી થાય છે. સોમવારે પાકિસ્તાને સ્વીકાર્યું હતું કે રવિવારે રાત્રે સરહદ પર થયેલા સામસામા ફાયરિંગમાં પાકિસ્તાની સેનાના ૭ જવાન માર્યા ગયા હતા. પાકિસ્તાની મિલિટરીની મીડિયા વિંગ આઈએસપીઆરએ એક નિવેદન જારી કરી સ્વીકાર્યું હતું કે, એલઓસી ખાતે પીઓકેના ભિમ્બર સેક્ટરમાં સાત પાકિસ્તાની જવાન માર્યા ગયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter