મોદી ફરી PM બને તે માટે હિન્દુઓ ૧૦ બાળકો પેદા કરે: શંકરાચાર્ય

Wednesday 21st January 2015 07:57 EST
 

 બદરિકાશ્રમના શંકરાચાર્ય વાસુદેવાનંદ સરસ્વતીએ હિન્દુઓનાં નામે એક સંદેશમાં જણાવ્યું છે કે હિન્દુઓએ ૧૦ બાળકો પેદા કરવાં જોઇએ જેથી નરેન્દ્ર મોદીને ફરીથી વડા પ્રધાન બનાવી શકાય. માઘ-મેળામાં ભાગ લઈ રહેલા શંકરાચાર્યે જણાવ્યું હતું કે હિન્દુઓમાં આવેલી એકતાને કારણે મોદી વડા પ્રધાન બન્યા છે.
અગાઉ ભાજપના સાંસદ સાક્ષી મહારાજે હિન્દુઓને ચાર બાળકો પેદા કરવાની સલાહ આપી હતી જેને સાધ્વી પ્રાચીએ સમર્થન આપ્યું હતું. થોડા સમય બાદ પશ્ચિમ બંગાળના ભાજપના નેતા શ્યામલ ગોસ્વામીએ હિન્દુઓને પાંચ બાળકો પેદા કરવાની સલાહ આપી હતી અને હવે હિન્દુત્વના હિમાયતીઓ સીધા ૧૦ બાળકો પર પહોંચી ગયા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter