લાહોરમાં નવાઝ શરીફનાં નિવાસસ્થાન પાસે આત્મઘાતી હુમલામાં નવનાં મોત

Friday 16th March 2018 08:24 EDT
 
 

લાહોર: લાહોરમાં પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફનાં નિવાસસ્થાન પાસે ૧૫મી માર્ચે આત્મઘાતી હુમલો થયો હતો. જેમાં નવ લોકોનાં મોત નીપજ્યાં છે. જેમાંથી પાંચ પોલીસકર્મી છે. આત્મઘાતી હુમલાખોર સગીર હોવાના અહેવાલ છે. જમાતનો કાર્યક્રમ ચાલતો હતો તે સ્થળ નજીક આ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ૨૫ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઘાયલોમાં ૧૪ પોલીસકર્મીનો સમાવેશ પણ થાય છે. રેસ્ક્યૂ ટીમના જણાવ્યા પ્રમાણે ૨૫ લોકોમાંથી ૪ પોલીસકર્મીની સ્થિતિ ગંભીર જણાવાઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter