હિંદુ સગીરા ધર્માંતરણઃ પિત સામે કાર્યવાહીનો આદેશ

Wednesday 26th February 2020 05:17 EST
 

ઇસ્લામાબાદઃ જમિયત-ઉલેમા-એ-ઇસ્લામ પાકિસ્તાન સહિતના અનેક મુસ્લિમ સંગઠનોના વિરોધ વચ્ચે ધર્માંતરણનો ભોગ બનેલી હિંદુ સગીરાને ભારે સુરક્ષા વચ્ચે જૈકબાબાદની કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. કોર્ટે સગીરાને લરકાનાના ડાર-ઉલ-અમન પાસે આવેલા બાળ સંરક્ષણ કેન્દ્રમાં મોકલી આપવાનો અને ઇસ્લામિક સંગઠનોના વિરોધ પ્રદર્શનો વચ્ચે આરોપી એવા સગીરાના મુસ્લિમ પતિ અલી રજા સોલંગી વિરુદ્ધ કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. આ ઉપરાંત કોર્ટે સ્થાનિક પોલીસને સગીરાની સુરક્ષા સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter