1 સપ્ટેમ્બરથી સ્ટુડન્ટ લોનના વ્યાજદર અને ચૂકવણીની મર્યાદામાં વધારો

રિટેલ પ્રાઇસ ઇન્ડેક્સ 4.1 ટકાના આધારે વ્યાજદર નક્કી કરાશે

Tuesday 11th August 2026 11:02 EDT
 
 

લંડનઃ આગામી 1 સપ્ટેમ્બરથી વિદ્યાર્થી લોનના વ્યાજદરમાં ફેરફાર અને પુનઃચુકવણીની મર્યાદામાં વધારો કરવા માટે ડિપાર્ટમેન્ટ ફોર એજ્યુકેશન દ્વારા વાર્ષિક અપડેટ્સ જાહેર કરવામાં આવ્યા છે. આ સુધારા અંતર્ગત, આધારભૂત ફુગાવાના આધારે રિટેલ પ્રાઇસ ઇન્ડેક્સ (RPI) દર 4.1 ટકા નક્કી કરવામાં આવ્યો છે, જેના આધારે લોનની યોજના અનુસાર વ્યાજદરમાં ફેરફાર લાગુ થશે. ડિપાર્ટમેન્ટ ફોર એજ્યુકેશન દ્વારા સંબંધિત વિદ્યાર્થીઓ અને લોનધારકોને શૈક્ષણિક વર્ષ દરમિયાન સંભવિત ફેરફારો માટે સત્તાવાર વેબ-સાઇટની નિયમિત મુલાકાત લેવાની સલાહ આપવામાં આવી છે.

  • પ્લાન 1: વ્યાજદર RPI (4.1%) અથવા બેંક બેઝ રેટ + 1% માંથી જે ઓછો હોય તે મુજબ રહેશે. આ ઉપરાંત, 6 એપ્રિલ 2027 થી વાર્ષિક પુનઃચુકવણીની મર્યાદા વધારીને 28,005 પાઉન્ડ કરવામાં આવી છે (જે અગાઉ 26,900 પાઉન્ડ હતી).
  • પ્લાન 2 અને પ્લાન 3: 1 સપ્ટેમ્બર 2026 થી 31 ઓગસ્ટ 2027 સુધીના સમયગાળા માટે મહત્તમ વ્યાજદર 6% પર મર્યાદિત કરવામાં આવ્યો છે.

comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter