MP વિરેન્દ્ર શર્મા હોસ્પિટલથી ઘરે, સેલ્ફ આઇસોલેશનમાં

Wednesday 01st April 2020 03:59 EDT
 

લંડનઃ કોરોના વાઇરસની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ એમપી વિરેન્દ્ર શર્માને રજા આપી દેવાતા હાલ તેઓ ઘરે સેલ્ફ આઇસોલેશનમાં છે. ગયા અઠવાડિયે તેમને કોરોના વાઇરસના લક્ષણ જોવા મળતા હિલિન્ગડન હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં તેમનો રીપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. હાલ તેમની તબિયત સુધારા પર હોવાનું તેમણે પોતે એક નિવેદનમાં જણાવ્યું હતું. હોસ્પિટલથી તેમને રજા દેવાતા હાલમાં તેઓ ઘરે છે. તેમને શ્વાસ લેવામાં મુશ્કેલ થતાં સારવાર માટે એક અઠવાડિયું હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

કોરોના વાઇરસના સંકટ સમયે પણ દિનરાત ફરજ નિભાવનારા એનએચએસ કર્મચારીઓના તેમણે વખાણ કર્યા હતા. ઘરેથી એક નિવેદનમાં તેમણે નાગરિકોને પણ કોરોનાથી બચવા ઘરે રહેવા અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે આ કપરો સમય છે અને સહુએ સાથે મળીને તેનો સામનો કરવો પડશે. પોતાની ગેરહાજરીમાં પણ ઇલિંગ સાઉથહોલના નાગરિકોને મદદ તથા સહકાર આપનારા પોતાના સ્ટાફનો પણ તેમણે આભાર માન્યો હતો. એનએચએસ અને સરકારની ગાઇડલાઇન અનુસાર પોતાને ઘરે સેલ્ફ આઇસોલેનશનમાં રહેવું પડે તેમ હોવા છતાં તેઓ શક્ય એટલ મદદ નાગરિકોને પહોંચાડશે તેવો વિશ્વાસ પણ એમપી વિરેન્દ્ર શર્માએ વ્યક્ત કર્યો હતો. તેમને શ્વાસ લેવામાં મુશ્કેલી સહિત કોરોના વાઇરસ સંક્રમણના લક્ષણ જણાતા તરત હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તેમનો રીપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. હોસ્પિટલથી રજા અપાયા પછી હાલ તેઓ ઘરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter