અમદાવાદ કરૂણાંતિકાને પગલે એન્ડરસન-તેંડુલકર ટ્રોફીનું અનાવરણ મોકુફ

Tuesday 17th June 2025 12:12 EDT
 
 

લંડનઃ અમદાવાદમાં પ્લેન ક્રેશના કારણે બહુપ્રતિક્ષિત એન્ડરસન- તેંડુલકર ટ્રોફીનું અનાવરણ ગુરુવારે મોકુફ રખાયું હતું. 20 જૂનથી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચની સીરિઝનો પ્રારંભ થઇ રહ્યો છે. અત્યાર સુધી પટૌડી ટ્રોફી તરીકે ઓળખાતી આ ટ્રોફીને આ વર્ષથી નવું નામ આપવામાં આવી રહ્યું છે અને શનિવારે તેનું અનાવરણ થવાનું હતું. અનાવરણની તારીખ હવે પછી જાહેર કરાશે.

પટૌડી ટ્રોફીનું નામ બદલવાના ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડના નિર્ણયનો સુનિલ ગાવસ્કર સહિતના ઘણા લિજન્ડ ક્રિકેટર દ્વારા વિરોધ કરાયો છે. તેમણે બોર્ડ પર ઇતિહાસ સાથે રમત રમવાનો આરોપ મૂકતાં ટ્રોફીનું નામ બદલવા સામે સવાલો ઉઠાવ્યાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter