આઇસીયુમાં સારવારના અભાવે કોરોનામાં હજારો વિકલાંગના મોત

Tuesday 26th March 2024 10:32 EDT
 
 

લંડનઃ કોરોના મહામારીના પ્રારંભના સપ્તાહોમાં માર્યા ગયેલા હજારો વિકલાંગોને એનએચએસની હોસ્પિટલોમાં ઇન્ટેન્સિવ કેર ટ્રીટમેન્ટથી વંચિત રખાયા હોવાનો આરોપ ચેરિટીઓ અને પીડિત પરિવારો દ્વારા મૂકાયો છે. આ અંગેના પુરાવા કોવિડ ઇન્કવાયરીને ઉપલબ્ધ કરાવવામાં આવ્યાં છે. પુરાવામાં દર્શાવવામાં આવ્યું છે કે કોરોનાગ્રસ્ત બનતાં પહેલાં આ લોકો તંદુરસ્ત હોવા છતાં ડાઉન સિન્ડ્રોમ, ઓટિઝમ અને અન્ય વિકલાંગતાથી પીડાતા લોકોની મેડિકલ ફાઇલ પર ડુ નોટ એટેમ્પ્ટની નોંધ મૂકી દેવાઇ હતી.

આ પ્રકારની નોંધ ઘણીવાર દર્દીની સંમતિ અથવા તો સમજ વિના જ મૂકી દેવાતી હોય છે તેવો આરોપ ચેરિટીઓ દ્વારા મૂકાયો છે. તેમની વિકલાંગતાને ખોટી રીતે માર્ચ 2020માં કોરોના મહામારીના પ્રારંભે ક્લિનિકલી ફ્રેઇલ ગણાવી દેવામાં આવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter