લંડનઃ યુકેના ફોરેન સેક્રેટરી ડેવિડ લેમી સપ્તાહાંતમાં નવી દિલ્હીની મુલાકાતે પહોંચ્યા હતા. તેમની સાથે મુલાકાત બાદ ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકરે જણાવ્યું હતું કે, ભારત અને યુકે વચ્ચેનો મુક્ત વેપાર કરાર અને ડબલ કન્ટ્રિબ્યુશન કન્વેન્શન સાચા માઇલ સ્ટોન છે. તેનાથી દ્વિમાર્ગીય વેપાર અને મૂડીરોકાણને વેગ મળશે અને સપ્લાય ચેઇન મજબૂત બનશે. જયશંકરે જણાવ્યું હતું કે, ભારત આતંકવાદ સામે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવી રહ્યો છે અને અમારા ભાગીદાર દેશોએ તે સમજવું પડશે. ડેવિડ લેમીએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરી હતી.
જયશંકરે જણાવ્યું હતું કે, પહલગામ હુમલાને સખ્ત રીતે વખોડી કાઢવા માટે ભારત યુકે સરકારની આભારી છે. આતંકવાદ સામેની લડાઇમાં ભારતનો સાથ આપવા માટે અમે આભારી છીએ.