આતંકવાદને વખોડી કાઢવો આપણી ફરજઃ શિવાની રાજા

Tuesday 03rd June 2025 10:30 EDT
 
 

લંડનઃ લેસ્ટર ઇસ્ટના સાંસદ શિવાની રાજાએ ભારતીય સાંસદોના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી આતંકવાદ સામેની લડાઇમાં સહાય કરવા ભારત સાથે મળીને કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. આતંકવાદી હુમલાને ભારતે આપેલા જવાબની પ્રશંસા કરતા શિવાનીએ યુકે અને અન્ય દેશોને આતંકવાદને એકી અવાજે વખોડી કાઢવાની અપીલ કરી હતી.

શિવાની રાજાએ જણાવ્યું હતું કે,અમારી પાર્ટીના મુખ્યમથક ખાતે કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્સ ઓફ ઇન્ડિયા અને ભારતીય પ્રતિનિધિમંડળ વચ્ચેની બેઠક ઘણી સકારાત્મક રહી હતી. બેઠકમાં વ્યાપક ચર્ચા થઇ હતી અને અમે આતંકવાદ સામેની લડાઇમાં ભારતની સાથે કામ કરવા માગીએ છીએ.

રાજાએ જણાવ્યું હતું કે, યુકે હંમેશા આતંકવાદને વખોડતો રહ્યો છે. આ વિશ્વના નાગરિક તરીકે આતંકવાદને વખોડી કાઢવો એ આપણી ફરજ છે. મને લાગે છે કે ભારત આતંકવાદી હુમલાઓનો યોગ્ય જવાબ આપી રહ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter