ઇતિહાસમાં પહેલીવાર રોયલ નેવીના જહાજો મેન્ટેનન્સ માટે ભારત મોકલાયાં

Tuesday 02nd April 2024 12:17 EDT
 
 

લંડનઃ બ્રિટિશ નેવીના રોયલ ફ્લીટ ઓક્ઝિલિયરી શિપ્સ આરએફએ આર્ગસ અને આરએફએ લાઇમ બેને મરામત માટે ભારત મોકલાયાં છે. રોયલ નેવીના જહાજોને ભારત ખાતે મરામત માટે મોકલાયાં હોય તેવી આ પહેલી ઘટના છે. બંને જહાજની મરામત અને મેન્ટેનન્સ એલ એન્ડ ટી શિપ બિલ્ડિંગ કંપનીના કટ્ટુપલ્લી શિપયાર્ડમાં થશે.

મેરીટાઇમ ક્ષેત્રે યુકે અને ભારત વચ્ચે લાંબા સમયથી સહકાર સધાઇ રહ્યો છે. આ ઘટના ઐતિહાસિક માઇલસ્ટોન સમાન છે. ભારત ખાતેના ડેપ્યુટી બ્રિટિશ હાઇ કમિશ્નર ઓલિવર બોલહેચેટે જણાવ્યું હતું કે, આ પહેલી ઘટના છે જેમાં રોયલ નેવીના જહાજોને મેન્ટેનન્સ માટે ભારત મોકલાયાં છે. આ પગલું ભારત અને યુકેના 2030 સુધીના રોડમેપ તરફ મહત્વનું છે. તે હિંદ મહાસાગરમાં વૈશ્વિક સુરક્ષા પડકારોમાં સહિયારી સમજને પણ પ્રતિબિંબિત કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter