ઇમિગ્રન્ટ્સ પરોપજીવી કે આળસુ નથીઃ સર સાદિક ખાન

સ્કીલ્ડ ઇમિગ્રન્ટ્સનું બ્રિટિશ ઇકોનોમીમાં પ્રતિ વર્ષ 16,000 પાઉન્ડનું યોગદાનઃ મેયર

Tuesday 20th May 2025 11:35 EDT
 
 

લંડનઃ વધુ પડતા ઇમિગ્રન્ટ્સથી યુકે અજાણ્યા લોકોનો દેશ બની જશે તેવા વડાપ્રધાન કેર સ્ટાર્મરના નિવેદન પર ઇમિગ્રન્ટ્સનો બચાવ કરતા લંડનના મેયર સર સાદિક ખાને જણાવ્યું હતું કે, ઇમિગ્રન્ટ્સ પરોપજીવી કે આળસુ નથી. જો હું વડાપ્રધાન હોત તો આ પ્રકારના શબ્દોનો ઉપયોગ કરતો નહીં.

સાદિક ખાને જણાવ્યું હતું કે, આપણા શહેરને આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક રીતે સફળ બનાવવામાં ઇમિગ્રન્ટ્સનું મોટું યોગદાન છે. તેમણે આપેલા યોગદાન માટે હું આભાર માનવા ઇચ્છું છું. હું માઇગ્રન્ટ્સનું સંતાન છું. હું મારા અંગત અનુભવના આધારે કહીશ કે મને લંડનવાસી અને બ્રિટિશર હોવાનું ગૌરવ છે.

સાદિક ખાને જણાવ્યું હતું કે, મારું માનવું છે કે વડાપ્રધાન સ્ટાર્મર ઇમિગ્રન્ટ્સે લંડનમાં આપેલા યોગદાનની ટીકા કરવા માગતા નહીં હોય. તેઓ બ્રેક્ઝિટિયર્સ દ્વારા ઇમિગ્રન્ટ્સને અપાયેલા વચનોનો જ ઉલ્લેખ કરી રહ્યાં હશે.

મેયરે જણાવ્યું હતું કે કુશળ ઇમિગ્રન્ટ્સ આપણી ઇકોનોમીમાં સરકારી નાણા પર નભતા બ્રિટિશરો કરતાં વધુ લાભદાયી છે. સ્કીલ્ડ ઇમિગ્રન્ટ્સ બ્રિટિશ ઇકોનોમીમાં પ્રતિ વર્ષ 16,000 પાઉન્ડનું યોગદાન આપે છે. તેમાં જાહેર સેવાઓમાં યોગદાન પણ સામેલ છે. તેમના પરિવાર પ્રતિ વર્ષ જાહેર સેવાઓમાં 12,000 પાઉન્ડનું યોગદાન આપે છે. જેની સામે બ્રિટિશ સ્કીલ્ડ વર્કરનો પરિવાર ઇકોનોમીના 4400 પાઉન્ડનો લાભ લઇ લે છે. યુકેમાં સૌથી ઝડપથી વૃદ્ધિ પામતા બિઝનેસ માઇગ્રન્ટ્સના સહકારથી સ્થપાયા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter